સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે ગાય માટેની પાણીની કુંડી નિ:શુલ્ક મળશે. - At This Time

સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે ગાય માટેની પાણીની કુંડી નિ:શુલ્ક મળશે.


સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે ગાય માટેની પાણીની કુંડી નિ:શુલ્ક મળશે.

રાજકોટ સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે ગાય માટેની પાણીની કુંડી નિ:શુલ્ક આપવામાં આવે છે. ધોમધખતાં તાપમાં ગૌમાતા પાણીની શોધમાં હોય છે. ગૌમાતાની તરસ છીપાવવા માટે સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે ગાય માટેની પાણીની કુંડી વિતરણ કરવામાં આવે છે. કુંડી વ્યક્તિ દીઠ એક અને વહેલા તે પહેલાનાં ધોરણે આપવામાં આવશે. કુંડીની સાઈઝ 2 ફૂટ 1.5 ફૂટની છે અને તેનો વજન 30 કિલોનો છે. કુંડી લેવા માટે સદભાવના વૃદ્ધાશ્રમ, "પીપળીયા ભવન"સ્વામીનારાયણ ગુરુકુળની સામે, ગોંડલ રોડ,ફાટક પાસે,ઓવરબ્રિજની નીચે, ડી.માર્ટ વાળી શેરી, રાજકોટ ખાતે આવવાનું રહેશે. આ અંગે વધુ વિગતો માટે સદભાવના વૃદ્ધાશ્રમ (મો. 80002 88888) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.