બરવાળા નિવૃત્ત પેન્શનરોની સામાન્ય સભા.સ્વામી નારાયણ મંદિરમાં યોજવામાં આવી - At This Time

બરવાળા નિવૃત્ત પેન્શનરોની સામાન્ય સભા.સ્વામી નારાયણ મંદિરમાં યોજવામાં આવી


દિપ પ્રગટાવી ત્યારબાદ પ્રાર્થના કરવામાં આવી બરવાળા તા પે મંડળના પ્રમુખ મખુભાઇ ચુડાસમા ના અધ્યક્ષસ્થાને મિટિંગ મળી તેમજ આ મિટિંગમાં બોટાદ જીલ્લા પેન્શન મંડળના પ્રમુખ વસંતભાઈ પિપાવત બોટાદ તા પે.મંડળના પ્રમુખ મનોજભાઈ ઉપાધ્યાય. તથા રાજ્ય કારોબારી સભ્ય ભુપતસિંહ વાળા તથા જાદવભાઇ મકવાણા એ પેન્શનરો ને મળતા લાભ વિશે વકત્યવ આપેલ તેમજ બરવાળા એસ.બી.આઇ ના મેનેજર વણજારા સાહેબ બેંક ની સિનિયર સિટીઝન ના લાભ વિષે જણાવેલ ભોજન ના દાતા બેલાણી ભાઇ નુ સન્માન કરેલ.તેમજ 65 ઉપરના નુ સન્માન કરેલ મિટિંગ નુ સંચાલન મંત્રી ઇકબાલ ભાઇ તથા કાંતિભાઇ વાધેલા એ કરેલ તેમજ મિટિંગ નુ કામ પુણૅ કરી સૌ સાથે ભોજન લઈને છુટા પડ્યા.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image