આજેસાંજે શિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન અને જાહેર સભા યોજાઈ - At This Time

આજેસાંજે શિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહન અને જાહેર સભા યોજાઈ


સિહોરનાં ક્રિકેટ ગ્રાઉન્ડ મેદાનમાં રાવણ
દહનના કાર્યક્રમ માં જય જય શ્રી રામના નાદ ગુંજી
ઉઠયા હતા. અહીં રાવણ દહનનાં કાર્યક્રમને નિહાળવા માટે
સંખ્યાબંધ લોકો ઉમટયા હતા. સાંજે 7 વાગ્યે રાવણના
પુતળાનું દહન કરાતા ચારેબાજુ હર્ષોલ્લાસ છવાયા હતા.
વિજયા દશમીનો પર્વ
સિહોરનાં ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડ ખાતે વિજયોત્સવ સમિતી
અને હિન્દુ જાગરણ મંચનાં સંયુક્ત ઉપક્રમે ભવ્ય કાર્યક્રમ
યોજાયો હતો, આ મહા ઉત્સવમાં
કાજલબેન હિન્દુસ્થાનીએ ખાસ ઉપસ્થિતિ રહિયા હતા આ
મહોત્સવમાં સંગઠનના કાર્યકરો અને કારીગરોએ બનાવેલા
રાવણનાં વિશાળ પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.
અને ભગવાન શ્રીરામના પાવન
જીવન સાથે જોડાયેલ પ્રસંગ વિજયાદશમી સમાજમાં
વિશેષ સંદેશ પાઠવે છે,આ કાર્યક્રમમાં. પોલીસ સ્ટાફ દ્વારા સુંદર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.