મહીસાગર સિચાઈ ઉદ્દદ્ધહન યોજના માટે રૂ.૭૯૪ ક૨ોડની વહીવટી મંજૂરી-ટેન્ડ૨ પ્રક્રિયા પૂર્ણ - At This Time

મહીસાગર સિચાઈ ઉદ્દદ્ધહન યોજના માટે રૂ.૭૯૪ ક૨ોડની વહીવટી મંજૂરી-ટેન્ડ૨ પ્રક્રિયા પૂર્ણ


રૈયાલીમાં ૪૦ લાખ અને મુનજીના મુવાડા ખાતે ૬૬ લાખ લિટર પાણીની ક્ષમતાવાળી ટાંકીઓ બનાવવામાં આવશે.

સિંચાઈ યોજના માટે રૂ. ૭૯૪ કરોડની વહીવટી મંજૂરી

૨૬૮ કિ.મી.લાંબી પાઇપલાઇન તૈયાર કરવામાં આવશે.

ત્રણેય તાલુકામાં ૧,૪૫૬ મિલિયન ઘનફૂટના પાણીના જથ્થાનો સંગ્રહ થશે

મહી નદી ઉદ્દહન સિંચાઈ યોજના થકી ખેડા-મહીસાગરના વિવિધ ૮૧ ગામના કુલ ૧૩૪ તળાવો ભરવાથી ૮,૧૦૦ હેક્ટર જમીનને પિયતનો લાભ થશે : જળ સંપત્તિ- પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ મહી નદી ઉદ્દહન સિંચાઈ યોજના માટે રૂ.૭૯૪ કરોડની વહીવટી મંજૂરી-ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ

મહી નદીની ઉદ્દહન સિંચાઈ યોજનાથી ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકાના ૫૪ ગામના ૬૧, કઠલાલના ૨૦ ગામના ૨૦, ગલતેશ્વરમાં ૦૭ ગામના ૦૮ તેમજ ઠાસરા તાલુકામાં ૦૫ તેવી જ રીતે મહીસાગરના બાલાસિનોર તાલુકાના ૪૦ ગામના ૪૦ એમ બંને જિલ્લાના કુલ ૧૩૪ તળાવો ભરવામાં આવશે. આ તળાવો ભરવાથી ૮,૧૦૦ હેકટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વવાળી ગુજરાત સરકાર “હર હાથને કામ, હર ખેતને પાણી' આપવા કટિબદ્ધ છે. મહી નદીની ઉદ્દહન સિંચાઈ યોજનાથી ખેડા જિલ્લામાં કપડવંજ તાલુકાના ૫૪ ગામના ૬૧, કઠલાલના ૨૦ ગામના ૨૦, ગલતેશ્વરમાં ૦૭ ગામના ૦૮ તેમજઠાસરા તાલુકામાં ૦૫ તેવી જ રીતે મહીસાગરના બાલાસિનોર તાલુકાના ૪૦ ગામના ૪૦ એમ બંને જિલ્લાના કુલ ૧૩૪ તળાવો ભરવામાં આવશે.

આ તળાવો ભરવાથી ૮,૧૦૦ હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, જેનાથી ખેડૂતો વધુ આર્થિક પગભર બનશે અને ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને વધુ બળ મળશે તેમ વિધાનસભા ગૃહમાં ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર દ્વારા પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું. મંત્રી પટેલે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પેટા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, મહી નદીની સિંચાઈ ઉદ્દહનસિંચાઈ યોજના માટે રૂ. ૭૯૪ કરોડની વહીવટી મંજૂરી બાદ તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ છે. આ યોજનામાં ૧૦ વર્ષની મરામત-નિભામણી કરવાની જોગવાઈ કરી છે. આ માટે ૨૬૮ કિ.મી.લાંબી પાઇપલાઇન તૈયાર કરવામાં આવશે. જે અંતર્ગત રૈયાલીમાં ૪૦ લાખ અને મુનજીના મુવાડા ખાતે ૬૬ લાખ લિટર પાણીની ક્ષમતાવાળી ટાંકીઓ બનાવવામાં આવશે. આ સમગ્ર કામગીરી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ યોજના થકી ત્રણેય તાલુકામાં ૧,૪૫૬ મિલિયન ઘનફૂટના પાણીના જથ્થાનો સંગ્રહ થશે તેને સીધો લાભ આ વિસ્તારમાં ખેતી કરતા ખેડૂતોને મળશે તેમ, મંત્રી પટેલે વધુ વિગતો આપતાં ગૃહમાં ઉમેર્યું હતું.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.