રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે બોટાદના MLA દ્વારા મારુતિ યાગ કરવામાં આવ્યો - At This Time

રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે બોટાદના MLA દ્વારા મારુતિ યાગ કરવામાં આવ્યો


રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે બોટાદના MLA દ્વારા મારુતિ યાગ કરવામાં આવ્યો.

આપના બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા આજ રોજ અયોધ્યા ખાતે ભગવાનશ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે જયારે સમગ્ર દેશમાં દિવાળીની જેમ ઉજવણી થઇ રહી છે ત્યારે બોટાદ ખાતે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા સમગ્ર દેશને એકતાનો સંદેશ આપવામાં આવ્યો છે,બોટાદ નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે મારુતિયજ્ઞ કરવામાં આવ્યો તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ તકે બોટાદની વિશાળ પ્રમાણમાં જન મેદની દર્શને તેમજ મહાપ્રસાદ માટે ઉમટી પડી હતી આ મારુતિ યજ્ઞમાં હિન્દૂ ધર્મના સાધુ સંતો તેમજ મુસ્લિમ ધર્મના મૌલાના અને હિન્દૂ મુસ્લિમ તેમજ દરેક ધર્મ સાથે રહીને ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આનંદ ઉઠાવ્યો હતો તેમજ દરેક ધર્મના લોકો સાથે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મહાપ્રસાદનો લાભ લીધો હતો તેમજ બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા ભગવાનશ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે સર્વને ખુબ શુભકામનાઓ પાઠવી છે અને સમગ્ર દેશને સર્વધર્મ સમભાવની એકતાનો સંદેશ પૂરો પાડ્યો છે.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.