ગણેશ વિસર્જન બાદ પાણીપુરીની રેકડીએ ડખ્ખો થયો, બે વર્ષની બાળકીને ઇજા - At This Time

ગણેશ વિસર્જન બાદ પાણીપુરીની રેકડીએ ડખ્ખો થયો, બે વર્ષની બાળકીને ઇજા


ગણેશ વિસર્જન બાદ પાણીપુરીની રેકડીએ ડખ્ખો થઇ જતાં બે વર્ષની બાળકીને ઇજા થતા રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કરાઇ હતી.મળતી વિગત મુજબ શહેરના ચુનારાવાડ, સીરાતામ સોસાયટીમાં રહેતા પાયલબેન જીતેશભાઇ સોલંકી તેમની 2 વર્ષની દીકરી જીયાને સાથે લઇ લાલપરી તળાવ ખાતે ગણપતિ વિસર્જનમાં ગયા હતા સાથે આડોશ-પાડોશ અને પરિવારના સભ્યો હતા. ગણેશ વિસર્જન પછી બધા પાણીપુરી ખાવા માટે પાણીપુરીની રેકડીએ ઉભા હતા ત્યાં પાણીપુરી ખાવા પડાપડી થઇ હતી.
જેમાં પહેલા કોને પાણીપુરી આપવી એ બાબતે અજાણ્યા લોકોએ ઝઘડો કર્યો હતો. ઝપાઝપીમાં ધક્કો લાગતા પાયલબેનના હાથમાંથી જીયા જમીન પર પટકાતા તેના માથામાં કાંકરા ઘુસી ગયા હતાં.જીયાને સિવીલ હોસ્પીટલમાં ખસેડી સારવાર અપાઇ હતી. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.