વાલીયા ચોરઆમલા ગામના સદગુરુ શ્રી કબીર મંદિર ખાતે દાદાગુરુદેવ મહંત શ્રી કમળદાસજી સાહેબ નો ૬૨ મો પુણ્ય તિથિ મહોત્સવ ઉજવાયો. - At This Time

વાલીયા ચોરઆમલા ગામના સદગુરુ શ્રી કબીર મંદિર ખાતે દાદાગુરુદેવ મહંત શ્રી કમળદાસજી સાહેબ નો ૬૨ મો પુણ્ય તિથિ મહોત્સવ ઉજવાયો.


બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ,એટ ધીસ ટાઇમ

ભરુચ જિલ્લા ના વાલીયા તાલુકા ના ચોરઆમલા ગામના સદગુરુ શ્રી કબીર મંદિર મુકામે દાદા ગુરુ દેવ મહંત શ્રી કમળદાસજી સાહેબ નો ૬૨ મો પુણ્ય તિથિ મહોત્સવ આનંદ આરતી નુ કાર્ય આ ગાદીના વર્તમાન મહંત ભાવ દાસજી સાહેબ તથા શિષ્યો થકી ધામ ધુમથી ઉજવવામાં આવ્યો..

આનંદ આરતી સદગુરુ શ્રી કબીર સમાધિ મંદિર માંજલપુર વડોદરા ના ગાદીપતિ મહંત 108 શ્રી પ્રિતમદાસજી સાહેબ ના કરકમલો દ્વારા તથા દક્ષિણ ગુજરાત વિસ્તાર ના મહંત સાહેબ શ્રી સાધુ સંતો ના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો.જેમા નર્મદા જિલ્લા ભરુચ જિલ્લા સુરત જિલ્લામાં થી ભાવિક ભકતો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.