જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં જર્જરિત બનેલી 6 દુકાનો અને એક ગોડાઉનના બાંધકામને દૂર કરાયું - At This Time

જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં જર્જરિત બનેલી 6 દુકાનો અને એક ગોડાઉનના બાંધકામને દૂર કરાયું


- ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને સલામતીના ભાગરૂપે એસ્ટેટ શાખા દ્વારા આજે ડિમોલીશનની કાર્યવાહીજામનગર તા 24 જુન 2022,શુક્રવાર જામનગરમાં બર્ધન ચોક વિસ્તારમાં કોઇચા શેરીમાં દુકાનો અને એક ગોડાઉનનું બાંધકામ કે જે અતિ જર્જરિત હોવાથી સલામતીના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરી જર્જરિત ભાગને દૂર કરવામાં આવ્યો છે.જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં કોઇચા શેરીમાં વર્ષો પુરાણી છ દુકાનો અને તેના ઉપર ગોડાઉનનો ભાગ આવેલો છે. જે તમામ જર્જરિત અવસ્થામાં હતા, અને મહાનગરપાલિકા દ્વારા તેના માલિકોને બાંધકામ દૂર કરી લેવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી.પરંતુ જગ્યાના માલિક દ્વારા કોઇ દરકાર કરવામાં નહીં આવતાં આખરે આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને જર્જરિત બની ગયેલી 6 દુકાનો અને ઉપરના માળે આવેલું ગોડાઉન વગેરે ના ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.