જલઝીલની એકાદશી એવં વામન જયંતિની શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દ્વારા ઉજવણી - At This Time

  જલઝીલની એકાદશી એવં વામન જયંતિની શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દ્વારા ઉજવણી


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે જલઝીલની એકાદશી એવં વામન જયંતિ નિમિત્તે તા.07-09-2022ને બુધવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. જલઝીલની એકાદશી એવં વામન જયંતિ અંતર્ગત શ્રીહરિ મંદિરમાં બપોરે ઠાકોરજીની પ.પૂ.નારાયણમુની સ્વામી, પ.પૂ.દર્શનસ્વામી તથા પ.પૂ.જગતસ્વામી દ્વારા આરતી કરી ભારે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ હજારો ભક્તોએ સમગ્ર કાર્યક્રમનું Salangpur Hanumanji – Official યુટ્યુબ ચેનલ પર તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.