બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કારતક માસ પૂનમ મંગળવારે તા. 08-11-2022ના રોજ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો. - At This Time

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે કારતક માસ પૂનમ મંગળવારે તા. 08-11-2022ના રોજ દાદાને ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો.


આ પ્રસંગે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા , સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ સિંહાસનને ફૂલોથી શણગારવામાં આવેલ. મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું. દાદાના હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
"શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુરધામ"

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.