તલોદના પુંસરી ખાતે મફત મોતિયા ઓપરેશન કેમ્પ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c86rt7btmcvycyyt/" left="-10"]

તલોદના પુંસરી ખાતે મફત મોતિયા ઓપરેશન કેમ્પ યોજાયો


તલોદના પુંસરી ખાતે મફત મોતિયા ઓપરેશન કેમ્પ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા અંધત્વ નિવારણ સોસાયટી અને સિનિયર સિટીઝન એસોસિએશન પુંસરી દ્રારા શંકરા આઇ હોસ્પીટલ મોગરના સૌજન્ય થી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં શંકરા આઇ હોસ્પીટલના તબીબ ડો. શાલિની સિંગ અને જયપાલભાઈ દ્રારા નેત્ર નિદાન કેમ્પમા કુલ 100 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. જેમાં 32 જેટલા દર્દીઓના મોતીયાના દર્દીઓને મોગર ખાતે શંકરા આઈ હોસ્પીટલમા ઓપરેશન માટે લઈ જવાની વ્યવસ્થા કરી હતી. નિદાન કેમ્પને સફળ બનાવવા માટે સિનિયર સિટીઝન એસોસિએશન ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
આ કેમ્પમાં સિનિયર સિટીઝન એસોસિએશન પુંસરીના પ્રમૂખશ્રી ભિખુસિંહ પરમાર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ પટેલ, મેડીકલ ઓફીસર ડો. ભાવેશ પરમાર તેમજ દર્દીઓ આ કેમ્પમાં ઉપસ્થિતિમાં રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]