બોટાદ મનમંદિર સ્કૂલ ખાતે અયોધ્યાથી કળશનું સ્વાગત કરવામાં આવ્યું - At This Time

બોટાદ મનમંદિર સ્કૂલ ખાતે અયોધ્યાથી કળશનું સ્વાગત કરવામાં આવ્યું


બોટાદ મનમંદિર સ્કૂલ ખાતે અયોધ્યાથી કળશનું સ્વાગત કરવામાં આવ્યું

બોટાદના ભાવનગર રોડ પર આવેલ પાટીવાળાની વાડી ખાતે મનમંદિર સ્કૂલ ખાતે આજે અયોધ્યાથી કળશ આવ્યો હતો અને શાળામાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાળકોને અને શિક્ષકોએ સાથે મળીને શોભાયાત્રા કાઢી હતી અને ભાવપૂર્ણ રીતે સ્વાગત કર્યું હતું શાળામાં કળશ નું સ્થાપન કરવામાં આવ્યું હતું અને આરતી કરીને પ્રસાદ નું વિતરણ કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય રમેશભાઈ સુમણીયાએ અને ટ્રસ્ટી પ્રકાશભાઈ ચૌહાણ દ્વારા બાળકોને રામ મંદિર અંગે માહિતી આપવામાં આવી હતી.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર ધવલ ગાબુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.