સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી તેમજ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના દર્શન કરી ધન્યતાનો ભાવ વ્યક્ત કરતાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર - At This Time

સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી તેમજ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના દર્શન કરી ધન્યતાનો ભાવ વ્યક્ત કરતાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર


સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી તેમજ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના દર્શન કરી ધન્યતાનો ભાવ વ્યક્ત કરતાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર

ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે આજે બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજ્યકક્ષાના મંત્રીએ બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી તેમજ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમાના દર્શન કરી ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. લોક સુખાકારી તેમજ જનકલ્યાણ માટે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે કષ્ટભંજનદેવ સમક્ષ પ્રાર્થના કરી હતી.દર્શન બાદ વિવેકસાગર સ્વામીજીએ મંત્રીશ્રીને સાળંગપુર સ્થિત કષ્ટભંજનદેવ મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોજનોને નુતન ભોજનાલયમાં અપાતી પ્રસાદી તેમજ વ્યવસ્થા અંગે માહિતગાર કર્યા હતા.આ મુલાકાત દરમિયાન બોટાદ જિલ્લાના અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક એન.એસ. ધ્રાંગુ, જિલ્લા સમાજકલ્યાણ અધિકારી(વિકસતી જાતિ) જે. એન.રાજ્યગુરૂ પણ આમુલાકાતમાં મંત્રી સાથે જોડાયાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.