રાજકોટમાં પેટ્રોલ પંપ પર એક શખ્સે છરી કાઢી, બીજાએ સિગારેટ સળગાવી દાદાગીરી કરી, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું - At This Time

રાજકોટમાં પેટ્રોલ પંપ પર એક શખ્સે છરી કાઢી, બીજાએ સિગારેટ સળગાવી દાદાગીરી કરી, પોલીસે કાયદાનું ભાન કરાવ્યું


તહેવારોના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોતાનો રૌફ બતાવવા ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપવામાં આવતો હોઈ છે ત્યારે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક વધ્યો હોવાના કિસ્સા સામે આવે છે જેમાં હાલ વધુ એક રાજકોટમાં પેટ્રોલપંપ પર આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટમાં બનેલી આ ઘટના બાદ સમગ્ર મામલે થોરાળા પોલીસ મથકમાં આમીર સલીમ મેમણ અને અરબાઝ ડોડીયા સુમરા નામના બે વ્યક્તિઓ સામે પેટ્રોલપંપના સંચાલક યાસીનભાઈ અહમદભાઈ ગાંજા નામના વ્યક્તિઓએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે જેમાં થોરાળા પોલીસે સમગ્ર મામલે આઈ.પી.સી. કલમ 283, 504, 506(2), 114, 118 મુજબ ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં રાજકોટના પેટ્રોલ પંપ પર આવારા તત્વોના આતંકને લઈને સમગ્ર બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસે ગણતરીની કલાકોમાં જ આતંક મચાવનાર બંને વ્યક્તિઓને પોલીસ સકંજામાં લીધા હોવાનું સામે આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.