કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ અંતર્ગત દાંતા તાલુકામાં ૨૫/૧૧/૨૩ કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાતનો કાર્યક્રમ યોજાયો... - At This Time

કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ અંતર્ગત દાંતા તાલુકામાં ૨૫/૧૧/૨૩ કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાતનો કાર્યક્રમ યોજાયો…


કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ અંતર્ગત દાંતા તાલુકામાં ૨૫/૧૧/૨૩ કૃષિ પ્રદર્શન અને પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાતનો કાર્યક્રમ યોજાયો...

દાંતા ખાતે વિવિધ વિભાગના પ્રદર્શન સ્ટોલની ખેડૂતોએ અને લોકોએ મુલાકાત લીધી અને ત્યારબાદ પાતળિયા ખાતે પ્રાકૃતિક ખેતી કરતાં અનુ સ્નાતકની ડીગ્રી ધરવતા એવા જાગૃત યુવા ખેડૂત શાકિરભાઈ પઠાણના મોડલ ફાર્મની મુલાકાત ગોઠવવામાં આવી..

જેમાં સૌ પ્રથમ આત્મા પ્રોજેક્ટના ATM કૌશિકભાઈએ સૌ ખેડૂતોનું શાબ્દિક સ્વાગત કર્યું,ત્યારબાદ ખેડૂત શાકિરભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે

પોતે ૨૦૧૯થી પ્રાકૃતિક ખેતી કરે છે
જેમાં જીવામૃત,બીજામૃત વગેરે ઘરે જ બનાવીને ખેતી પાકોમાં ઉપયોગ કરે છે
ખાટી છાસ,આકડા તેમજ ઈંગ્લીશ ઘાસનો ઉપયોગ કરીને ખેતી પાકોને જીવાતોથી રક્ષણ આપે છે.
દિવેલા પાકમાં તેઓ ૫ થી ૭ ફૂટના અંતરે વાવેતર કરે છે જેથી પણ ઉત્પાદનમાં વધારો મળે છે.
ઘઉં સાથે ચણાના પાકનું વાવેતર કરેલ છે જેથી આંતરપાકમાં ઉત્પાદન પણ વધે છે અને જમીનનું આરોગ્ય પણ સારું રહે છે..
આ સિવાય વૈજ્ઞાનીક ઢબે મરઘાં પાલન અને પશુપાલન પણ કરે છે
આ ઢબે ખેતી કરવા માટે આત્મા પ્રોજેકટ અને ખેતીવાડી વિભાગના પ્રાકૃતિક ખેતીની વ્યાપ વધે તે માટે મને સતત માર્ગદર્શન મળી રહ્યું છે તે માટે તેમનો આભાર માનેલ..

આ દરમ્યાન ડી.કે.જોષી ( નોડલ અધિકારી રવિ કૃષિ મહોત્સવ 2023 દાંતા ) પી.ટી.ચોરાસિયા ( વિસ્તરણ અધિકારી ખેતી ),ગ્રામ સેવક ઓ,આત્માના ATM કૌશિકભાઈ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા


9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.