ખોડલધામના 'પટેલ'ને જ પૂછી-પૂછીને પાણી પીતા હાર્દિકના ભાજપમાં પ્રવેશ પાછળની જાણો કહાણી, આ રીતે ઘડાઈ 'સ્ટ્રેટેજી' - At This Time

ખોડલધામના ‘પટેલ’ને જ પૂછી-પૂછીને પાણી પીતા હાર્દિકના ભાજપમાં પ્રવેશ પાછળની જાણો કહાણી, આ રીતે ઘડાઈ ‘સ્ટ્રેટેજી’


પાટીદાર અનામત આંદોલનના એક સમયના મશાલચી હાર્દિક પટેલ લાંબી અટકળો બાદ ભાજપમાં જોડાયા. આ ઘટનાના એક જ મહિનામાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલે પણ રાજકારણમાં ન જોડાવાનો નિર્ણય જાહેર કરી દીધો. કોંગ્રેસમાં જાઉં-જાઉં કરતા નરેશભાઈએ આમ અચાનક રાજકીય ઈચ્છાઓનો સંકેલો કરી લીધો, એનાથી સમાજ અને રાજકીય નેતાઓનો ગણગણાટ શરૂ થયો છે. આ બધાને લાગે છે હાર્દિકને ‘સેટ કરવા’ માટે જ નરેશ પટેલ રાજકારણની વાતો કરતા હતા. હવે કામ થઈ ગયું એટલે રાજકારણની એકદમ ના પાડી દીધી. આ સ્થિતિ કંઈક રંધાઈ ગયું હોય એ તરફ ઈશારો કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.