પાળીયાદ મહાજન પાંજરાપોળમાં અબોલ પશુઓના ઘાસચારામાં સતત દાનની સરવાણી - At This Time

પાળીયાદ મહાજન પાંજરાપોળમાં અબોલ પશુઓના ઘાસચારામાં સતત દાનની સરવાણી


પાળીયાદ મહાજન પાંજરાપોળમાં અબોલ પશુઓના ઘાસચારામાં સતત દાનની સરવાણી

આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં અબોલ પશુઓ નાં પ્રબળ પુણ્યોદય તેમજ ચેરમેન શ્રી ગુણવંતભાઈ ગોપાણી ના અથાગ પ્રયત્ન થકી આજરોજ ₹.૧૧૦૦૦૦૦(અગીયાર લાખ ) કહાન રાજ સાર્વજનિક ટ્રસ્ટ વિલે પારલા મુંબઈ તરફથી અબોલ પશુઓના ઘાસચારા માટે મળેલ છે.ગઈ કાલે પણ આવી મોટી રકમનું દાન મળેલ છે. ત્યારે આ વિસ્તારના જીવદયા પ્રેમીમાં આનંદ છવાયો છે. સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.જીવ દયાની જય હો હજુ પણ ગૌમાતાના પુણ્ય પ્રતાપથી આવી જ મોટી રકમનું દાન ટૂંક સમયમાં જ આવવવાની શક્યતા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.