જસદણ નજીક ઘેલાં સોમનાથ મંદીર પાસે કચરો સળગાવતાં અજાણી મહિલાનું મોત - At This Time

જસદણ નજીક ઘેલાં સોમનાથ મંદીર પાસે કચરો સળગાવતાં અજાણી મહિલાનું મોત


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નજીક આવેલ વિખ્યાત તીર્થધામ નજીક ઘેલા સવારે કચરો સળગાવવા જતા અજાણી મહિલા દાઝી જતા તેનું સારવાર દરમ્‍યાન રાજકોટની સિવિલ હોસ્‍પીટલમાં મોત નિપજયું છે.

પ્રાપ્ત વિગત મુજબ ઘેલા સોમનાથમાં મંદીર પાસે આજે સવારે આશરે ૪૦ વર્ષની અજાણી મહિલા કચરો સળગાવતી હતી ત્‍યારે અચાનક ભડકો થતા તે દાઝી જતા તેને સારવાર માટે પ્રથમ જસદણ બાદ રાજકોટની સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાઇ હતી. ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે જસદણ પોલીસે મહિલાના મૃતદેહનો પીએમ માટે ખસેડાયો હતો. જો કોઇ આ મહિલાના સગાસબંધી હોઇ તો જસદણ પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.