જસદણ ખોડીયાર મંદીરે હીરપરા પરિવારનો સોમવારે ૨૬ મો વાર્ષિક પાટોત્સવ - At This Time

જસદણ ખોડીયાર મંદીરે હીરપરા પરિવારનો સોમવારે ૨૬ મો વાર્ષિક પાટોત્સવ


હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આગામી તા.૧૫ ને સોમવારનાં રોજ શહેરના ચિતલિયારોડ પર આવેલ ખોડીયાર માતાજીના મંદિરે ૨૬ મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે આ અંગે સમસ્ત હીરપરા પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે આ પ્રસંગ પૂર્વે માતાજીની આરાધના કરવા માટે રવિવારે રાત્રિના ખાસ પરિવારની મહિલાઓ ગરબા રમશે આ અવસરે સોમવારે સવારથી જ સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં વસતાં હીરપરા પરિવારના ભાઈ બહેનો અને બાળકો સહિત હજજારો ભાવિકો જસદણ આવશે આ અંગે તેઓ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઊપસ્થિત રહી શ્રદ્ધા ના ફૂલો ન્યોછાવર કરશે હવન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોને આખરી ઓપ અપાઈ રહ્યો હોવાનું હરી હીરપરાએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.