બરવાળા શહેર ખાતે પરમ પૂજ્ય ભુવન ભાનુ સૂરીશ્વરજી મહારાજ સાહેબના સંપ્રદાયના પ.પુ.મુનીરાજ શ્રી મૈત્રીભાવવિજજી મહારાજ સાહેબ બરવાળા ખાતે કાળધર્મ પામ્યા - At This Time

બરવાળા શહેર ખાતે પરમ પૂજ્ય ભુવન ભાનુ સૂરીશ્વરજી મહારાજ સાહેબના સંપ્રદાયના પ.પુ.મુનીરાજ શ્રી મૈત્રીભાવવિજજી મહારાજ સાહેબ બરવાળા ખાતે કાળધર્મ પામ્યા


પૂજ્યપાદ પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરીશ્વરજી મહારાજ ના સમુદાય ના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ના આજ્ઞાવર્તી પૂજ્ય આચાર્ય શ્રી જયસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ ના શિષ્ય પૂજ્ય પંન્યાસ શ્રી દિવ્યદર્શન મ. સા. ના શિષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી મૈત્રીભાવવિજયજી મ. સા. આજે તા. ૨૭/૧૨ સવારે ૪.૪૫ કલાકે બરવાળા મુકામે નમસ્કાર મહામંત્ર ને સાંભળતા સાંભળતા સમાધિપૂર્વક કાળધર્મ પામેલ જેઓ શ્રી ની પાલખી બપોરે ૩.૦૦ કલાકે નીકળી હતી. સમગ્ર ગામે આ પ્રસંગે બંધ પાળ્યો હતો. સવારે દાઉદ વ્હોરા સમાજના ભાઈઓ સૌથી પહેલાં પહોંચ્યા હતા તેમજ તેમના ધર્મગુરુ મૌલા સાહેબ પણ સભા માં પધાર્યા હતા. અને મોટી સંખ્યામાં વ્હોરા સમાજ તથા જૈન -જૈનેતર લોકો પાલખી યાત્રા માં જોડાયા હતા. "જય જય નંદા, જય જય ભદ્દા" નાં સુત્રોચ્ચાર સાથે બરવાળા ની બજારો ગુંજી ઊઠી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.