અમરાપુર ગામે શ્રી નુતન મંદિર ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૭/૨૮/૨૯ ૨૦૨૩ યોજાશે - At This Time

અમરાપુર ગામે શ્રી નુતન મંદિર ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૭/૨૮/૨૯ ૨૦૨૩ યોજાશે


માળીયા હાટીના તાલુકાના અમરાપુર ગામે શ્રી રામ દરબાર, શ્રી ખોડિયાર માતાજી શ્રી શીતળા માતાજી -શ્રી નુતન મંદિર ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
નું શુભ મુહર્ત તા. ૨૭/૨૮/૨૯ ૨૦૨૩ ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજ્ઞ આચાર્ય રાજેશકુમાર જગજીવનભાઇ પુરોહિતના શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચન કરાવશે તેમજ આ ભગીરથ કાર્યમાં આ જય નેજાધારી રામા મંડળ-રાજકોટ નું પ્રખ્યાત મંડળ તા. ૨૭/૦૫/૨૦૨૩ શનિવાર રાત્રીના ૯-૦૦ કલાકે તેમજ તા. ૨૮/૦૫/૨૦૧૩ રવિવાર રાત્રીના ૯-૩૦ ભવ્ય લોકડાયરા માં દેવરાજભાઇ ગઢવી લોક સાહિત્ય, ભુમીબેન આહિર લોક ગાયીકા, દેવરાજ રાઠોડ લોક ગાયક, રાજાભાઇ ગઢવી હાસ્ય કલાકાર સહિત ના કલાકારો પોતાની આગલી સહેલી રસપાન કરાવશે જેમાં આપ માળીયા હાટીના તાલુકાની જાહેર જનતા એ પધારવા અમરાપુર-ગીર ગામ સમસ્ત તરફથી જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું

અંતમાં માળીયા હાટીના તાલુકાની જાહેર ધર્મપ્રેમી જનતા ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં બહોળી સંખ્યામાં લોકોએ મહા પ્રસાદ લેવા સમસ્ત અમરાપુર ગ્રામજનોની યાદી જણાવેલ

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.