મારે મરી જવું છે’ રટણ કરતા કારખાનેદારની પત્નીનો આપઘાત - At This Time

મારે મરી જવું છે’ રટણ કરતા કારખાનેદારની પત્નીનો આપઘાત


નારાયણનગરમાં છેલ્લા છ મહિનાથી મારે મરી જવું છે રટણ કર્યે રાખતા 58 વર્ષિય કારખાનેદારના પત્નીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગાયત્રીનગર મેઈન રોડ પર નારાયણનગર-3માં રહેતા કાંતાબેન હરજીભાઈ સુદાણી (ઉ.58) ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નિપજયું હતું.
બનાવ અંગે જાણ થતાં ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ પ્રદ્યુમનસિંહ દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડયો હતો. વધુમાં પોલીસના સુત્રોએ જણાવ્યું હતું કે મૃતકને સંતાનમાં બે પુત્રો છે તેમના પતિ અને બન્ને પુત્રો કારખાનેદાર છે.
સુખી સંપન્ન પરીવાર છે અને બન્ને પુત્રોના લગ્ન પણ થઈ ગયા હતા. પરંતુ મૃતક કાંતાબેન છેલ્લા છ માસથી મારે મરી જવું છે તેવું રટણ કર્યે રાખતા હતા. જે બાદ અગમ્ય કારણોસર તેમને પગલું ભરી લીધાનું પ્રાથમીક તારણ સામે આવ્યું હતું. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.