રાજકોટ:ગાડી સરખી ચલાવજે’ કહી ઈકોચાલક પર બે શખ્સનો હુમલો - At This Time

રાજકોટ:ગાડી સરખી ચલાવજે’ કહી ઈકોચાલક પર બે શખ્સનો હુમલો


અયોધ્યા ચોક પાસે ઈકોચાલક નિતીન નંદા પર ગાડી સરખી ચલાવવાનું કહી રાજુ અને તેજસ નામના શખ્સોએ પથ્થરથી હુમલો કરતાં સારવારમાં સીવીલ ખસેડાયા હતો. બનાવ અંગેની વધુ વિગત અનુસાર, મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે વૈદિક વિહાર સોસાયટીમાં રહેતા નિતીનભાઈ મહેશભાઈ નંદા (ઉ.વ.27) ગત રાત્રે 10 વાગ્યે પોતાની ઈકો કાર લઈને નિકળ્યા હતાં.
ત્યારે 150 ફુટ રીંગરોડ પર આવેલ અયોધ્યા ચોક પાસે પહોંચતા સામેથી આવતા એકટીવામાં ધસી આવેલા રાજુ અને તેજસે તુ ઈકો કાર સરખી ચલાવજે કહી ઝઘડો કરી પથ્થરના છુટા ઘા મારી હુમલો કરતાં શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં સીવીલે ખસેડાયા હતાં. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.