ભાવનગર: વલ્લભીપુર નજીક કાર અને ટ્રકને અકસ્માત નડ્યો, 3 ના મોત, 1 ઈજાગ્રસ્ત - At This Time

ભાવનગર: વલ્લભીપુર નજીક કાર અને ટ્રકને અકસ્માત નડ્યો, 3 ના મોત, 1 ઈજાગ્રસ્ત


ભાવનગર, તા. 14 ઓગસ્ટ 2022 રવિવારભાવનગર જિલ્લાના વલ્લભીપુર નજીક અકસ્માતની કરૂણ ઘટના ઘટી. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યો પતિ, પત્ની, પુત્રને કાળ ભરખી ગયો અને એકને ઇજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. વલ્લભીપુરના ઉમરાળા જવાના માર્ગ પર આ બનાવ બન્યો હોવાનુ સામે આવ્યુ છે. ઘટના અનુસાર વલ્લભીપુરથી ઉમરાળા જતા માર્ગ પર મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્થળ પર જ કારમાં સવાર પરિવારના ત્રણેય વ્યક્તિના મોત થયા.અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી હતી. જે બાદ અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને પીએમ માટે અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્યારે આ સમગ્ર ઘટનાને લઇને વલ્લભીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.