આંબેડકરનગરમાં કરીયાણાના ધંધાર્થીએ પિતા-પુત્રને લાકડીથી ફટકાર્યા - At This Time

આંબેડકરનગરમાં કરીયાણાના ધંધાર્થીએ પિતા-પુત્રને લાકડીથી ફટકાર્યા


આંબેડકરનગરમાં પિતા-પુત્ર પર કરીયાણાના ધંધાર્થીએ લાકડીથી હુમલો કરતા યુવકને સારવારમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પર આંબેડકરનગરમાં રહેતો ભરત કાનજીભાઈ મકવાણા (ઉં.21) ગત રોજ પોતાના ઘરે પત્ની સાથે ઝઘડો કરતો હતો ત્યારે પાડોશમાં રહેતા અને અનાજ કરીયાણાની દુકાન ધરાવતા કિશોર નાજા ખીમસુરીયાએ ઝઘડો કરી યુવક અને તેના પિતા પર લાકડીથી હુમલો કરતા પિતા-પુત્ર ઘવાયા હતા. જેમા યુવકને ગંભીર ઈજા પહોચતા સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. જયારે સામા પક્ષે કિશોરભાઈ નાજાભાઈ ખીમસુરીયા (ઉં.45) ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં સીવીલ હોસ્પિટલે દાખલ થયા હતા અને કાનજી, હિતેશ અને પ્રવિણ નામના શખ્સે તેને લાકડીથી માર માર્યાનો આક્ષેપ કર્યો હતો.બનાવ અંગે પોલીસે બંને ઈજાગ્રસ્તોના નિવેદન નોંધી તપાસ હાથ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.