વિશ્વ ચકલી દિવસે જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા ચકલી બચાવો ઝુંબેશ સાથે માળા અને પાણીના કુંડા વિતરણ કરાયા - At This Time

વિશ્વ ચકલી દિવસે જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા ચકલી બચાવો ઝુંબેશ સાથે માળા અને પાણીના કુંડા વિતરણ કરાયા


વિશ્વ ચકલી દિવસે જાયન્ટ્સ ગ્રુપ બોટાદ દ્વારા ચકલી બચાવો ઝુંબેશ સાથે માળા અને પાણીના કુંડા વિતરણ કરાયા

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા પ્રત્યેક વર્ષે ચકલી બચાવો અભિયાન હેઠળ ખાસ ઓર્ડર આપી ચકલી નાં માળા બનાવડાવવામાં આવે છે.આજે વિશ્વ ચકલી દિન નિમિતે બોટાદના દિન દયાળ ચોકમાં ચકલીના માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવેલ.ચકલી બચાવો ઝુંબેશના આ કાર્યક્રમમાં બોટાદ જાયન્ટસ ગ્રુપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા,અમિતભાઈ વડોદરિયા,લાલજીભાઈ કળથીયા,દીપકભાઈ માથુકીયા,દર્શનભાઈ પટેલ,દિલીપભાઈ ભલગામિયા,પ્રશાંતભાઈ કળથીયા,કાનજીભાઈ કળથીયા,પ્રકાશભાઈ ભીમાણી,જયદીપભાઈ પરમાર,નરેશભાઈ માવાણી,મનસુરભાઈ ખલયાણી,સંજયભાઈ પટેલ,ભાવેશભાઈ ગજેરા,વિરેનભાઈ રાજગોર,મનીષભાઈ મકવાણા,મુકેશભાઈ,વિશાલભાઈ માવાણી વિગેરે સભ્યો ઉપસ્થિત રહેલ.આજરોજ વિશ્વ ચકલી દિન નિમિતે દિન દયાળ ચોકમાં તૈયાર કરવામાં આવેલ સ્ટોલમાં 1000 ચકલીના માળા અને 200 પાણી તથા ચણ માટેના સ્ટેન્ડનું વિતરણ તેમજ ઢસા ખાતે 1000 ચકલીના માળા મોકલવામાં આવેલ.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.