સયાજીગંજમાં રહેતા વેપારીનો ફાંસો ખાઇને આપઘાત - At This Time

સયાજીગંજમાં રહેતા વેપારીનો ફાંસો ખાઇને આપઘાત


વડોદરા,દાંડિયાબજારમાં બુક બાઇન્ડિંગની દુકાન ધરાવતા વેપારીએ ઘરમાં રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લેતા સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો  પાસેથી મળતી માહિતી મુજબ, સયાજીગંજ દર્શનમ એવન્યૂમાં રહેતો ૩૮ વર્ષનો શ્રવણ વિજયભાઇ ચૌધરી અને તેના પિતા બુક બાઇન્ડિંગનો ધંધો કરે છે.તેઓની દુકાન દાંડિયાબજારમાં છે.તેની પત્ની જ્વેલર્સના શો  રૃમમાં નોકરી કરે છે.આજે સવારે નાહીને તે બેડરૃમમાં ગયો હતો.અનેે રૃમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો.થોડીવાર પછી તેના મોબાઇલ પર રીંગ વાગતા તેની મમ્મી મોબાઇલ આપવા માટે ગઇ હતી.બેડરૃમનો દરવાજો બંધ હોવાથી તેની મમ્મીએ દરવાજો ખખડાવ્યો હતો.પરંતુ,શ્રવણે દરવાજો ખોલ્યો નહતો.છેવટે પરિવારજનોએ બળ વાપરીને  દરવાજો તોડી નાંખ્યો હતો.અંદર જોયું તો શ્રવણ અંદર  લટકતો હતો.આ અંગે સયાજીગંજ પોલીસને જાણ કરાતા પોલીસ સ્થળ  પર પહોંચી હતી.પરંતુ, મૃતક પાસેથી કોઇ ચિઠ્ઠી મળી નથી.પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.