રાજકોટ શહેરમાં છેલ્લા બે મહિનામાં 150થી વધુ કેસ નોંધાયા, લોકોને સાવધાન રહેવા તબીબોની અપીલ - At This Time

રાજકોટ શહેરમાં છેલ્લા બે મહિનામાં 150થી વધુ કેસ નોંધાયા, લોકોને સાવધાન રહેવા તબીબોની અપીલ


રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રોગચાળો સતત વધી રહ્યો છે. ત્યારે છેલ્લા બે મહિનાથી શહેરમાં સ્વાઈન ફ્લૂનાં કેસોમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, સરકારે સ્વાઇન ફ્લૂને એક સામાન્ય ફ્લૂની શ્રેણીમાં મૂક્યો હોવાથી તેના સત્તાવાર આંકડાઓ સામે આવતા નથી. રાજકોટ શહેરમાં છેલ્લા બે મહિનામાં સ્વાઇન ફ્લૂનાં 150થી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેને લઈ લોકોને સાવધાન રહેવા તબીબો દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.