ફોર્સથી પાણી મળશે: હિંમતનગરમાં ત્રણ ખૂણિયા વિસ્તારમાં બોર બનતાં વધારે ફોર્સથી પાણી મળશે - At This Time

ફોર્સથી પાણી મળશે: હિંમતનગરમાં ત્રણ ખૂણિયા વિસ્તારમાં બોર બનતાં વધારે ફોર્સથી પાણી મળશે


વીજ લાઇનને કારણે વાઘેલાવાસ સિવાયના પાંચ બોર બની ગયા

હિંમતનગર પાલિકા દ્વારા શહેરના ત્રણ ખૂણિયા ઓટલા સહિતના વિસ્તારમાં 39 લાખના ખર્ચે બોર બનતાં હવે વિસ્તારની જનતાને વધારે ફોર્સથી પાણી મળશે તેવું પાલિકાએ જણાવ્યું હતું.

હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરના ત્રણ ખૂણિયા ઓટલા, અક્ષર સોસાયટી, અશ્વમેઘ સોસાયટી, કર્ણાવતી સોસાયટી, ભાવના સોસાયટી અને વાઘેલાવાસમાં કુલ રૂ.39 લાખના ખર્ચે બોર,પમ્પીંગ સ્ટેશન મોટર લાઈટીંગ વગેરે બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં વીજ લાઇનને કારણે વાઘેલાવાસ સિવાયના પાંચ બોર બની ગયા છે.

નગરપાલિકાના વોટર વર્કસ વિભાગના વડા અશ્વિનભાઈએ જણાવ્યું કે પાલિકાના સપ્લાયની સાથે બોરની લાઇન મળી જતાં શહેરીજનોને વધારે ફોર્સથી પાણી મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.