માધવગઢ ગામમાં શિવરાત્રી પર્વ નિમિત્તે ગ્રામજનો દ્વારા ભોળાનાથની શોભાયાત્રા કાઢવામાં આવી - At This Time

માધવગઢ ગામમાં શિવરાત્રી પર્વ નિમિત્તે ગ્રામજનો દ્વારા ભોળાનાથની શોભાયાત્રા કાઢવામાં આવી


ગાંધીનગરના માધવગઢ ગામ ખાતે મહાશિવરાત્રીના પાવન દિવસે શિવભક્તો દ્વારા ગામમાં ભગવાન ભોળાનાથની શોભાયાત્રા તેમજ મહાદેવ મંદિરની રીનોવેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આજે મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર દેશમાં હર હર ભોલે ના નાદ સાથે શિવભક્તો મહાશિવરાત્રીની ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે ગાંધીનગર જિલ્લાના માંધવગઢ ગામમાં સવારથી જ મહાદેવ મંદિરથી ભગવાન ભોળાનાથ ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ડીજે સાથે હર હર મહાદેવના નારા સાથે સમસ્ત માધવગઢ ગ્રામજનો જોડાયા હતા તથા સાબરમતી નદીના કિનારે આવેલ મહાદેવ મંદિરના રીનોવેશન નું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.