*હિમતનગર સિવિલ માં કિમોથેરાપી વિભાગ નો આરંભ* - At This Time

*હિમતનગર સિવિલ માં કિમોથેરાપી વિભાગ નો આરંભ*


*હિમતનગર સિવિલ માં કિમોથેરાપી વિભાગ નો આરંભ*

છેલ્લા થોડાક વર્ષોમાં કેન્સર જેવા મહારોગો નો પ્રસાર વ્યાપક સ્તરે થયેલ છે અને તેના ઉપચાર નો ખર્ચ અને વિધિ એટલી જટલી અને મોઘી છે કે સામાન્ય માણસો તો ઠીક સમાજના સુખી વર્ગના લોકો માટે પણ અસાધ્ય છે કેન્સર જેવી અસાધ્ય બીમારીઓ કોઈ ને ના થાય એવી ભગવાન ને પ્રાર્થના સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કેન્સર ના દર્દીઓ માટે એક સુખદ સમાચાર છે *માન. સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ સાહેબ* ના અથાગ પ્રયત્નો પરિણામને હિંમતનગર સિવિલ ખાતે કેન્સરના દર્દીઓના કિમો થેરાપીની સુવિધાઓ અને સમસ્ત સાધનો સાથે નો એક વિભાગ તાજેતરમાં આરંભ કરવામાં આવેલ છે ગંભીર અવસ્થામાં પહોંચેલ દર્દીઓ ને કિમો થેરાપી માટે અત્યાર સુધી અમદાવાદ સિવિલ ખાતે ખસેડવાની ફરજ પડતી હતી *માન. સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ સાહેબના* સંવેદનશીલ પ્રયત્નો ના પરિણામ સ્વરૂપે હિંમતનગર સિવિલ ખાતે ઉભી થયેલ નવીન સુધાઓ કેન્સર ના દર્દીઓ અને તેમના સંબંધીઓ માટે આશીર્વાદરૂપ છે

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.