જુનાગઢ જિલ્લા કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં માંગરોળ ની શ્રી પરમેશ વિદ્યાલય ની કૃતિ ઉત્કૃષ્ટ કૃતિ જાહેર થઈ - At This Time

જુનાગઢ જિલ્લા કક્ષાએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનમાં માંગરોળ ની શ્રી પરમેશ વિદ્યાલય ની કૃતિ ઉત્કૃષ્ટ કૃતિ જાહેર થઈ


પીવીએમ સાયન્સ કોલેજ કેશોદ મુકામે યોજાયેલા જિલ્લા કક્ષાના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2023 માં શ્રી પરમેશ વિદ્યાલય માંગરોળ બંદર ની કૃતિ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ કૃતિ તરીકે જાહેર કરવામાં આવી છે આ કૃતિનું માર્ગદર્શન જિલ્લા ના શ્રેષ્ઠ શિક્ષક શ્રી હિતેશભાઈ અધ્વર્યું એ કર્યું હતું

શ્રી પરમેશ વિદ્યાલય ના શિક્ષક શ્રી હિતેશભાઈ અધ્વર્યું ના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ કૃતી સ્ટેમ્ સેલ થેરાપી કૃતિને શાળાના આચાર્ય શ્રી વાળા સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વેલજીભાઈ મસાણી એસ.વી.એસ કન્વીનર શ્રી હિંશુ મેડમ કન્યા વિનય મંદિરના આચાર્ય મેડમ મંજુલાબેન બીઆરસી શ્રી ભાવેશભાઈ સી.આર.સી વિક્રમભાઈ એ તથા સમગ્ર માંગરોળ વિસ્તાર શિક્ષણ સંસ્થાઓ એ અભિનંદન પાઠવ્યા હતા

રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.