સુદામડા ગામનું તળાવ નર્મદાના નીર થી ભરવા માટે ની અનુમતિ આપતા કિરીટસિંહ રાણા,
સુદામડા ગામના ભાજપ ના આગેવાનો દ્વારા ગામ લોકોના પાણીના પ્રશ્ન મુદે કાયમ નિકાલ આવે એ માટે ગામનું તળાવ નર્મદાના નીર થી ભરવા માટે કિરીટસિંહ રાણા ને ગાંધીનગર ખાતે રજુઆત કરેલ હતી. જે રજુઆત ને ધ્યાન માં લઈ કિરીટસિંહ રાણા દ્વારા સિદ્ધાંતિક વિકલ્પમાં સૌની યોજના મારફત સુદામડા ના તળાવ માં નર્મદા ના નીર લાવવામાં આવશે. જેની મંજૂરી આપી દીધેલ છે. જે બાબતે સુદામડા ગામના લોકોને કાયમ પાણી નો પ્રશ્ન હલ થઈ જશે. જે નિર્ણય આપવા બદલ સુદામડા ભાજપ કાર્યકર્તા તથા ગામલોકોએ કિરીટસિંહ રાણા સાહેબ નો આભાર વ્યક્ત કર્યો હતો.
સુદામડા ગામના કાર્યકર્તા માં વનરાજભાઈ ખાચર, (પૂર્વ સરપંચ ) માણશીભાઈ ખવડ, મનુભાઈ ખવડ, ભરતભાઈ બોરીચા, ઘનશ્યામભાઈ ગાબુ, ભોપાભાઈ ચૌહાણ, વિજયભાઈ ખવડ તથા અન્ય ગામના કાર્યકર્તા દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]