જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 5 થી 9 સપ્ટેમ્બર સુધી શિક્ષક દિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. - At This Time

જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 5 થી 9 સપ્ટેમ્બર સુધી શિક્ષક દિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.


જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 5 થી 9 સપ્ટેમ્બર સુધી શિક્ષક દિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
કૌશલ્યવિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય , નવી દિલ્હી , ભારત સરકારના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠા દ્વારા 5 થી 9 સપ્ટેમ્બર સુધી શિક્ષક દિવસ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.જેમાં બધાજ તાલીમ કેન્દ્રો ઉપર શિક્ષક દિવસની ઉજવણીના ભાગ રૂપે 1. શિક્ષકોનું સન્માન 2 મારો શિક્ષક મારો હીરોના ટેગ સાથે તાલીમાર્થી સાથે સેલ્ફી, 3.. કુશળતા પ્રતિયોગિતાનું આયોજન.4 કુશળ વક્તાઓ દ્વારા માહિતી આપવી અને 5.પ્રતિયોગિતામાં સફળ તાલીમાર્થીઓને સર્ટીફીકેટ અને ઇનામ વિતરણ કરવું.જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.સમગ્ર કાર્યક્રમનું આયોજન જન શિક્ષણ સંસ્થાન સાબરકાંઠાના ડાયરેક્ટર અહમદભાઈ મનસુરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.

આબિદઅલી ભુરા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.