સાયલા ખાતે માજી સરપંચ શ્રી સ્વ.શિવરાજસિંહજી સુરેન્દ્રસિંહજી ઝાલા સાહેબ ની બાર મી પુર્ણતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/kqzgk0roqdvvvdte/" left="-10"]

સાયલા ખાતે માજી સરપંચ શ્રી સ્વ.શિવરાજસિંહજી સુરેન્દ્રસિંહજી ઝાલા સાહેબ ની બાર મી પુર્ણતિથિ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.


સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના રાજકુંવર એવમ પ્રજાવત્સલ માજી સરપંચ શ્રી સ્વ.શિવરાજસિંહજી સુરેન્દ્રસિંહજી ઝાલા સાહેબ ની બાર મી પુર્ણતિથિ નિમિતે તેમજ શ્રધ્ધા સુમન અર્પીત કરવા માટે સાયલા યુવા સરપંચ ભાઈ શ્રી અજયરાજસિંહ ઝાલા તેમજ સદસ્યો દ્વારા રક્તદાન શિબિર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ રક્ત દાનમાં આશરે 158 બોટલ એકઠી કરવામાં આવી. આ રક્ત દાનમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સાયલા તાલુકા ટિમ તેમજ શહેર ટિમ દ્વારા 20 જેટલી બોટલ રક્ત દાન કરી એક સેવા ના કામ માં સહભાગી થયા. તેમજ સાયલા ગ્રામ પંચાયતના સદસ્યો, સાયલા વેપારી મંડળ, ક્ષત્રિય સમાજ, ક્રિકેટ ટીમ, હોમગાર્ડ યુનિટ, પાંજરાપોળ સહિતના આગેવાનો સહિત જોડાયા હતા.
જેમાં ખાસ ઉપસ્થિત મહેમાનો સાયલા લાલજી મહારાજ ની મંદિરના મહંત દુર્ગાદાસ બાપુ, મામલતદાર સાહેબ, તાલુકા પંચાયતના કર્મચારીઓ, સાયલા ગ્રામ પંચાયત સરપંચ શ્રી અજય રાજસિંહ ઝાલા, રૈયા ભાઈ રાઠોડ, ચેતનભાઇ ખાચર વગેરે જેવા મહાનુભાવો એ હાજરી આપી. આ કાર્યક્રમમાં સાયલા અલ્પેશભાઈ શાહે જહેમત ઉઠાવી હતી‌
at this time news sayala
રિપોર્ટર.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]