મોટા ખુટવડા હોમગાર્ડ યુનિટ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ. - At This Time

મોટા ખુટવડા હોમગાર્ડ યુનિટ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ.


આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન ની જાહરાત ને દેશભરમાં ખુબજ પ્રતિસાદ મળી રહ્યો છે.ગરીબથી લઈને મોટા ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, સરકારી કર્મચારીઓ દેશભક્તિના રંગે રંગાયા છે. ત્યારે ભાવનગર હોમગાર્ડ કમાન્ડટ શંભૂસિહ સરવૈયાના સૂચનાથી મહુવા તાલુકાના મોટા ખૂંટવડા હોમગાર્ડ યુનિટ ના જવાનો દ્વારા મોટા ખૂંટવડાના બસ સ્ટેશન વિસ્તાર, વળિયા ભુવન ચોક, ગ્રામ પંચાયત કચેરી, રામજી મંદિર ચોક, મેઈન બજાર, શીતળાઈ પ્લોટ વિસ્તાર, બોરડી રોડ સહિત વિવિધ વિસ્તારોમાં તિરંગા યાત્રા નીકળી હતી. હોમગાર્ડ યુવાનો ની તિરંગા યાત્રા ને લઈને સમગ્ર ખૂંટવડા ગામ દેશભક્તિ ના રંગે રંગાયુ હતુ.

રિપોર્ટર.રમેશ જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.