માતાના વિયોગમાં 43 વર્ષીય મુસ્તાફભાઇ પીંજારાએ એસીડ પી જીવન ટુંકાવ્યું - At This Time

માતાના વિયોગમાં 43 વર્ષીય મુસ્તાફભાઇ પીંજારાએ એસીડ પી જીવન ટુંકાવ્યું


150 ફુટ રીંગ રોડ પર આવેલ ટ્રેકકોન કુરીયરની ઓફિસમાં કામ કરતા યુવાને માતાના વિયોગમાં એસીડ પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગયો છે. બનાવ અંગે જાણ થતા પોલીસ દોડી ગઇ હતી.
પ્રાપ્ત વિગત મુજબ બાબરીયા કોલોની શેરી નં.પમાં અટીકા ફાટક પાસે રહેતા મુસ્તાફ અલ્લારખાભાઇ લીંગડીયા (ઉ.વ.43) ગઇકાલે 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલ ગોવર્ધન ચોક પાસે ટ્રેકઓન કુરીયરની ઓફિસમાં કામે ગયા હતા જે બાદ ત્યાં જ એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.
બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જાણ કરતા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એલ.બી.ડીંડોર દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં મળેલ વિગત મુજબ મૃતકના માતા ઝરીનાબેનનું બે મહિના પહેલા મોત નિપજયું હતું. જે આઘાત સહન ન કરી શકતા તેઓએ અંતિમ પગલુ ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મૃતક ત્રણ ભાઇમાં વચેટ અને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.