વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા ગીતા મંદિરની સાફ સફાઇ કરાઈ - At This Time

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા ગીતા મંદિરની સાફ સફાઇ કરાઈ


વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા ગીતા મંદિરની સાફ સફાઇ કરાઈ
----------
ગીર સોમનાથ, તા.૧૬: અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.૨૨મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૨ જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેના ભાગરૂપે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા ગીતા મંદિરની સાફ સફાઇ કરવામાં આવી હતી.
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા ગીતા મંદિર પરિસરમાંથી નકામા લાકડા, પાંદડા સહિતનો કચરો સાફ કરીને ડીડીટીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને મંદિર પરીસરની સાફ સફાઇ કરીને સુંદર બનાવવામાં આવ્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.