બોટાદના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્નેહમિલન અને શાકોત્સવ યોજયો - At This Time

બોટાદના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્નેહમિલન અને શાકોત્સવ યોજયો


બોટાદના બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે સ્નેહમિલન અને શાકોત્સવ યોજયો

બોટાદ ના ભાવનગર રોડ(પ્રમુખ સ્વામી માર્ગ )પર આવેલ બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સ્નેહમિલન અને શાકોત્સવનું આયોજન કરાયું હતું જેમા સારંગપુર બી.એ.પી.એસ શ્રી સ્વામિનારાયણ મંદિરના વિદ્વાન સંત પૂજ્ય વેદચિંતન સ્વામી દ્વારા જીવન માંગલ્ય વિષય પર ઉપસ્થિતિ ભક્તજનોને રસપાન કરાવ્યું હતું તેમજ હાલ અયોધ્યા માં શ્રી રામ મંદિર જન્મભૂમિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અક્ષત અભિયાન કુંભનું ઠેર ઠેર પૂજન થઈ રહ્યું છે ત્યારે બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અક્ષત કુંભનું પૂજન કરવામા આવેલ આ કાર્યક્રમમાં વિશ્વહિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ જિલ્લા મંત્રી શશીકાંતભાઈ ગોહિલ જિલ્લા બજરંગ દળ સંયોજક ભગીરથસિંહ વાઘેલા પ્રખંડ અધ્યક્ષ મોન્ટુભાઇ માળી પ્રખંડ મંત્રી આલકુભાઇ ધાધલ વગેરે વિશ્વહિન્દુ પરિષદના કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા આ સ્નેહમિલન અને શાકોત્સવમાં બોટાદ જિલ્લા ડેપ્યુટી કલેકટર પરમાર સાહેબ,શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,બરવાળા તાલુકા પંચાયત પ્રમુખ વીરેન્દ્રભાઈ ખાચર,બરવાળા માર્કટીંગ યાર્ડના ચેરમેન ભાવિકભાઈ ખાચર,કમલેશભાઈ પટેલ, ડો.જયેશ મેઘાણી,ડો.જીજ્ઞેશ વાઘેલા,ડો.અનિલ કાકડિયા,ડો કે.ડી દેસાઈ,વગેરે ડોકટરો તેમજ હરિભક્તો ઉપસ્થિતિ રહ્યા હતા આ શાકોત્સવ અને સ્નેહમિલન સાધુ વીનમ્રસેવાદાસ સ્વામી(સંતનિર્દશક બોટાદ),સાધુ પ્રિયકીર્તનદાસ સ્વામી(બાળપ્રવુતિ સંતનિર્દશક)ની માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.