*શ્રી સરસ્વતી શિશુવાટીકા/ પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં જન્માષ્ટમીની ઉજવણી,નંદમહોત્સવ, - At This Time

*શ્રી સરસ્વતી શિશુવાટીકા/ પ્રાથમિક વિદ્યામંદિર થાનગઢમાં જન્માષ્ટમીની ઉજવણી,નંદમહોત્સવ,


મટકીફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો* શ્રી સરસ્વતી શિશુવાટીકાના બાળકો તેમજ પ્રાથમિક ધોરણના બાળકો આજે શ્રીકૃષ્ણ,રાધા,ગોપી ગોવાળિયા,સુદામા જેવા પાત્રોમાં રંગીનવસ્ત્રોમાં વેશભૂષામાં સજ્જ બની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરી શિશુવાટિકા તેમજ પ્રાથમિકધોરણમાં બાળકો,મીઠાઈ,ફળો, માખણ,પીપરમેન્ટ જેવો પ્રસાદ લાવીને બન્ને મટકી માં મુક્યા રમાદીદી, જીગીષાદીદી, અવંતીકાદીદી દ્વારા સુંદર વિવિધ સજાવટ કરેલી મટકીઓનો ઉપયોગ મટકીફોડના કાર્યક્રમમાં કરવામાં આવ્યો વિદ્યાર્થીઓ તેમજ દીદીઓ દ્વારા વંદનાખંડનું ફૂલો, ફુગ્ગાથી શણગાર કર્યો જન્માષ્ટમી કાર્યક્રમોમાં પ્રધાનાચાર્ય શ્રીહસમુખગુરૂજી, સહપ્રધાનાચાર્યશ્રી રાજેન્દ્રગરુજી, તથા શ્રીસરસ્વતી વિદ્યામંદિર પરિવાર ઉપસ્થિત રહીને સફળ બનાવવામાં આવ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.