બોટાદ જિલ્લાના કુલ ૭૪૨ લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું - At This Time

બોટાદ જિલ્લાના કુલ ૭૪૨ લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું


બોટાદ જિલ્લાના કુલ ૭૪૨ લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

બોટાદના પાળીયાદ રોડ પર આવેલ જુના માર્કટીંગ યાર્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયની પ્રેરક ઉપસ્થતિમા પ્રધાનમંત્રી આવાસોનો ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ સંપન્ન થયો હતો.પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર બોટાદ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી,ડો.બાબાસાહેબ આંબેડકર યોજના અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના આ તમામ થકી બોટાદ જિલ્લાના કુલ ૭૪૨ લાભાર્થીઓના આવાસોનું ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે જિલ્લામાં આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકરૂપે ચાવી અર્પણ કરવામાં આવી આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી,શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા,મનહરભાઈ માતરીયા,ભીખુભાઈ વાઘેલા,રસિકભાઈ ભુંગાણી સહીત ના જિલ્લા ભર ના કાર્યકરો તેમજ લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં બોટાદવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.