ગુડી પડવો- ચૈત્રી નવરાત્રિ પ્રારંભ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પરંપરાગત શણગાર ધરાવવામાં આવ્યો - At This Time

ગુડી પડવો- ચૈત્રી નવરાત્રિ પ્રારંભ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ દાદાને પરંપરાગત શણગાર ધરાવવામાં આવ્યો


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ગુડી પડવો- ચૈત્રી નવરાત્રિ પ્રારંભ નિમિતે તા.09-04-2024ને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને પરંપરાગત શણગાર કરી સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તેમજ મંદિરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેના દર્શન આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.