શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૧૨૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી - At This Time

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૧૨૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી


શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૧૨૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૧૨૧ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
સ્વ .શ્રી ગુણવંત ભાઈ વડોદરિયા ના સ્મરણાર્થે ૪૭૬ મો પ્રભુકૃપા શ્રી દક્ષા બહેન વડોદરિયાની ઉપસ્થિતિ માં શિશુવિહાર સંસ્થામાં યોજાય ગયો. તેમજ સ્વ.માતૃશ્રી ગીતાલક્ષ્મીબહેન હરિકૃષ્ણ ભટ્ટ તથા સ્વ.પિતાશ્રી હરિકૃષ્ણ ભદ્રશંકર ભટ્ટના સ્મરણાર્થે શ્રી ઉર્મિલા બહેન ભટ્ટ તથા શ્રી અશ્વિનકુમાર ભટ્ટના સૌજન્ય થી ૪૭૭ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ તારીખ ૨૨ ડિસેમ્બર નાં રોજ શિશુવિહાર પ્રાંગણમાં યોજાયો.
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી કતથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૧૨૧ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. સૌરવ મહાજન સાહેબની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ.મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાત મંદ ૨૨ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે તેમજ દર્દીઓના ૧૧ સહાયકોને ખાસ બસમાં વિરનગર લઈ જવામાં આવ્યા.
દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી.......

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.