તે મારી સામે ફરિયાદ કરી હતી’ કહી વેપારી પર ત્રણ શખ્સનો હુમલો - At This Time

તે મારી સામે ફરિયાદ કરી હતી’ કહી વેપારી પર ત્રણ શખ્સનો હુમલો


ગાયકવાડીમાં જમીન લે-વેચનો વેપાર કરતાં નાગેસસિંહ ઘર પાસે હતાં ત્યારે બાઇકમાં ઘસી આવેલા ત્રણ શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી મારમારી છરી બતાવી ધમકી આપી હતી. જે અંગે પ્ર. નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

બનાવ અંગે નાગેસસિંહ શેખસિંહ ચૌહાણ (ઉ.વ.42) (ધંધો. વેપાર) (રહે.ગાયકવાડી -3, સંજયરાજ જંકશન પ્લોટ) એ જણાવ્યું હતું કે, તે જમીન લે-વેચનો વેપાર કરું છુ. ગત રાત્રીના તે દસેક વાગ્યે ઘર પાસે ચોકમા ઉભો હતો તે દરમિયાન રુખડીયા પરામા રહેતો ઇરફાન ખમીરસાભાઇ ભાણુ તથા તેની સાથે બે અજાણ્યા શખ્સો એકટીવામા ઘસી આવી

અને ઈરફાને ગાળો આપી ઢીકાપાટુનો મારમારી છરી કાઢી કહેલ કે, તે મારી સામે ફરિયાદ કરી હતી અને આ તારી સગી નહીં થાય કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ, તે દરમિયાન તેની સાથેના અન્ય બે શખ્સોએ કહેલ કે, તેને ઉપાડી લ્યો આને પુરોજ કરી દેવો છે કહેતા ફરિયાદી ત્યાંથી તેને છોડાવી ભાગી 100 નંબરમાં જાણ કરતાં પોલીસ આવી જતાં આરોપી નાસી છૂટ્યા હતાં.
વધુમાં ફરિયાદીએ જણાવેલ કે, ત્રણ મહિના પહેલાં સ્ટાર પ્લાઝા પાસે થૂંકવાની બાબતે ઈરફાન સાથે માથાકૂટ થઈ હતી જે મામલે તેના વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી. જેનો ખાર રાખી હુમલો કર્યો હતો.બનાવ અંગેની ફરિયાદ પરથી પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.