ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ - At This Time

ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ


ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ

સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એકલવ્ય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે સાથે સાથે અનાથ, અપંગ અને અતિ ગરીબ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી- મોરા - સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ સેન્ટ્રલ ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીયા - ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થવા બદલ શ્રી ડામોર રાજેશભાઈ લીમસિંગભાઈ - મુ. નાની સંજેલી તા. સિંગવડ જી. દાહોદને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી રાજુભાઈ એસ. મકવાણા, અને સંગાડા અશ્વિનભાઈ સી. દ્વારા ઉતરોતર પ્રગતિ કરતા રહો એવી શુભકામના વ્યક્ત કરી હતી..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.