વિરપુરના નાસરોલી ગામે શ્રી માઁ ખોડિયારના મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો... - At This Time

વિરપુરના નાસરોલી ગામે શ્રી માઁ ખોડિયારના મંદિરનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો…


ત્રિ દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં 11 જેટલા યજમાનો દ્રારા પુજા અર્ચના કરવામાં આવી..

વિરપુર તાલુકાના નાસરોલી ખાતે ત્રિ દિવસીય માઁ ખોડિયારની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી નાસરોલી ગામ ખાતે માઁ ખોડિયારનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, એક વર્ષ અગાઉ મંદિરનું ખાદ્યમુર્હુત કરવામાં આવ્યું હતું જે મંદિરની પ્રાણપ્રતિષ્ઠા તા:24-02-2024 થી તા :26-02-2024 ના રોજ કરવામાં આવી હતી ઉપરાંત દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તારીખ ૨૪ થી ૨૬ ફેબ્રુઆરીના રોજ ભવ્ય કાર્યક્રમ જેવાકે સુંદરકાંડ , શોભાયાત્રા, રાસ ગરબા, ખોડિયાર માઁ , ગણપતિ દાદા તથા હનુમાનજીની પ્રાણપ્રતિષ્ઠા વિધિ,સાંજના સુમારે ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા કાર્યક્રમના અંતમાં સમુહ ભોજન સહિત ભજન કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા...

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.