બાલાસિનોર બૈડપ ગામના વતની ની સાસરીમાં હત્યા થઇ હોવાનો પરિવાર નો આક્ષેપ - At This Time

બાલાસિનોર બૈડપ ગામના વતની ની સાસરીમાં હત્યા થઇ હોવાનો પરિવાર નો આક્ષેપ


બાલાસિનોર તાલુકાના દેવ પાસે આવેલા ઢાઠી ગામે પોતાની પત્ની અને બાળકોને મળવા ગયેલા ઇસમની નાકના ભાગેથી લોહી નીકળતી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો.આ બાદ મૃતક ઇસમના પરિવારે પોતાના દીકરાની હત્યા કરવામાં આવી હોય તેવા આક્ષેપ સાથે બાલાસિનોર પોલીસ મથકે રજૂઆત કરી હતી.આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર મૃતક પરમાર મુકેશભાઇ કિર્તનભાઈ ઉ.વ 32 રહે, બૈડપમાં પરિવાર સાથે રહે છે. આ અંગે પરિવારજનોએ જણાવ્યું હતું કે અમારા દીકરા મુકેશના લગ્ન આજથી 12 વર્ષ અગાઉ બાલાસિનોર તાલુકાના દેવ તાબે આવેલ ઢાઠી ખાતે રહેતા જેસંગભાઈ રાયસિંગભાઈ પરમારની દિકરી સાથે કર્યા હતા.
તેને લગ્નજીવન દરમિયાન સંતાનમાં બે દીકરીઓ છે. પરંતુ કોઈ કારણોસર પતિ-પત્ની વચ્ચે તકરાર થતાં પત્ની શુશીલા બંને દીકરીઓને લઈ પોતાના પિયર દેવ તાબે આવેલ ઢાઠી ખાતે જતા રહ્યા હતા. જ્યારે મુકેશ તેની દીકરીઓને મળવા તા. ૧૭ જૂન સાંજના ઢાઠી મુકામે ગયો હતો. જ્યાં તેની હત્યા કરાઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. આ બાબતે બાલાસિનોર પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જ્યારે આગામી સમયમાં પી.એમ રિપોર્ટ આવ્યા બાદ હત્યા કરાઈ કે અન્ય કારણોસર મૃત્યુ નીપજ્યું છે તે સ્પષ્ટ થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.