રાજકોટમાં લોખંડની પાઈપથી હત્યા કરી, ઘરને તાળું મારી ભાગ્યો, દિકરાને કહ્યું- તારાથી થાય એ કરી લેજે, જૂનાગઢથી ઝડપાયો - At This Time

રાજકોટમાં લોખંડની પાઈપથી હત્યા કરી, ઘરને તાળું મારી ભાગ્યો, દિકરાને કહ્યું- તારાથી થાય એ કરી લેજે, જૂનાગઢથી ઝડપાયો


રાજકોટ-ગોંડલ હાઈવે પર શાપર-વેરાવળની સર્વોદય સોસાયટી નજીકના ગોવિંદનગરમાં ભાડાના મકાનમાં રહેતી કમળાબેન (ઉં.વ.49)ની ગત શુક્રવારે સાંજે લોખંડની પાઈપના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. હત્યા બીજા કોઈએ નહીં પણ તેના પતિએ જ કરી હતી. હત્યા કર્યા બાદ પતિ પ્રેમજી ગોવિંદ પરમાર (ઉં.વ.50) ઘરને તાળું મારી જૂનાગઢ ભાગી ગયો હતો. તેમજ મોટા પુત્રને ફોન કરી કહ્યું હતું કે, તારાથી થાય એ કરી લેજે. જોકે, શાપર પોલીસે તેને જૂનાગઢથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.