અનુસૂચિત જાતિના ઘર વિહોણા લાભાર્થીઓને મળશે હવે ઘરનું ઘર ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ડો.આંબેડકર આવાસ યોજના - At This Time

અનુસૂચિત જાતિના ઘર વિહોણા લાભાર્થીઓને મળશે હવે ઘરનું ઘર ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ડો.આંબેડકર આવાસ યોજના


અનુસૂચિત જાતિના ઘર વિહોણા લાભાર્થીઓને મળશે હવે ઘરનું ઘર
ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ડો.આંબેડકર આવાસ યોજના
હેઠળ ૧૩૫ લાભાર્થીઓને સહાય અપાઇ
૦૦૦૦૦૦
વર્ષ ૨૦૨૩-૨૪ની ડો.આંબેડકર આવાસ યોજનાનો જિલ્લામાં ૧૦૦ ટકા લક્ષ્યાંક પૂર્ણ
૦૦૦૦૦૦
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીએ ફોર્મ ભરનાર
અરજદારોના ઘરે જઇ સ્થળ તપાસ કરી લાભ આપ્યો
૦૦૦૦૦૦
ગીર સોમનાથ, તા.૭, ઘર વિહોણા પરિવારને ઘરનું ઘર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. લોકોને નવું ઘર મળી રહે તે માટે આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ અનુસૂચિત જાતિના ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી દ્વારા ઓનલાઇન અરજીઓને આધારે સ્થળ ચકાસણી કરી જરૂરિયાતમંદ પરિવારોને પાકાં ઘર બનાવવા માટે સહાય આપવામાં આવી હતી. જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ ૧૩૫નો લક્ષ્યાંક હતો. જેને ૧૦૦ ટકા પૂર્ણ કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી શાક્યસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો લક્ષ્યાંક છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે રૂા.૧,૨૦,૦૦૦ની સહાયના ત્રણ હપ્તા પેટે ચુકવવામાં આવે છે. તે પૈકી પ્રથમ હપ્તો રૂા.૪૦,૦૦૦(વહીવટી મંજૂરીના હુકમ સાથે), બીજો હપ્તો રૂા.૬૦,૦૦૦(લીન્ટલ લેવલે પહોંચ્યા બાદ) અને ત્રીજો હપ્તો રૂા.૨૦,૦૦૦(શૌચાલય સહિતનું બાંધકામ પૂર્ણ થયેથી) આપવામાં આવે છે.
જિલ્લામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૩૫નો લક્ષ્યાંક હતો. જે ૧૦૦ ટકા પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. જિલ્લામાં ઓનલાઇન ફોર્મ ભરાયા હતાં. તેમાંથી ફોર્મ તપાસ સ્થળ ચકાસણી કરી, જરૂરિયાતમંદ પરિવારોને સહાય આપવામાં આવી હતી. જેમાં કામ પ્રગતિમાં છે અને તમામ લાભાર્થીઓને પ્રથમ હપ્તો તેમના બેન્ક ખાતામાં નાખી દેવામાં આવ્યો છે. હજુ પણ લક્ષ્યાંક મળ્યા બાદ જરૂરિયાતમંદ પરિવારોને પાકા ઘર માટે સહાય આપવામાં આવશે. ડો.આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માંગતા લાભાર્થીઓએ ઓફિસે ધક્કા ખાવાની જરૂરિયાત નથી તેઓ

ડો.આંબેડકર યોજનાના નિયમો અને શરતો
લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા રાજ્ય સરકાર દ્વારા અમલી અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂા.૬,૦૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક રૂા.૬,૦૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ. મકાનની સહાય રકમ રૂા.૧,૨૦,૦૦૦ રહેશે. વધુમાં શૌચાલય માટે જેમને રૂા.૧૨,૦૦૦ની સહાય મળવાપાત્ર હોય તેમને અલગથી તે યોજનાના નિયમો પ્રમાણે મળવાપાત્ર થશે. પરંતુ જો લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો તેમણે ફરજિયાત રૂા.૧,૨૦,૦૦૦ની સહાયમાંથી શૌચાલય બનાવવાનું રહેશે.
આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” એ મુજબની તક્તી લગાવવાની રહેશે. મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂા.૧૦,૦૦,૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં રૂા.૭,૦૦,૦૦૦ની રહેશે. શહેરી વિસ્તારમાં Affordable Housing Scheme હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી. મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કર્યેથી ૨ વર્ષમાં મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે. લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી ૨૧ વર્ષ રહેશે.

બોક્સ - ૨
રજૂ કરવાના ડોક્યુમેન્ટહ
ડો.આંબેડકર આવાસ યોજના હેઠળ લાભ લેવા માટે લાભાર્થીઓએ આધાર કાર્ડ, રેશનકાર્ડ જાતિનો દાખલો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો(વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક), જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક (જે લાગુ પડતુ હોય તે), બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ/રદ કરેલ ચેક, (અરજદારના નામનું) પતિના મરણનો દાખલો (જો વિધવા હોય તો), જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી, ચૂંટણી ઓળખપત્ર, મકાન બાંધકામ ચિઠ્ઠી, સ્વ-ઘોષણા પત્ર(Self Declarition) જે જગ્યાએ મકાન બાંધકામ કરવાનું હોય તે ખુલ્લો પ્લોટ/જર્જરીત મકાનનો ફોટો સહિતના ડોક્યૂમેન્ટ રજૂ કરવાના રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.