રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત મિટીંગ યોજાઈ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત મિટીંગ યોજાઈ.


રાજકોટ શહેર તા.૧૬/૬/૨૦૨૨ ના રોજ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સયુંકત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભાને સંબોધતી વખતે માન. પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરતા તા.૧૧ ડીસેમ્બર ૨૦૧૪ના રોજ સયુંકત રાષ્ટ્ર સામાન્ય સભાએ દરખાસ્તને સંમતિ આપી ૨૧ જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાપિત કરવા કરવામાં આવેલ ઠરાવ અનુસંધાને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. જે ભારત માટે અત્યંત ગૌરવની વાત છે. ગતવર્ષે વૈશ્વિક કોરોનાના કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોગ એટ હોમ યોગ વિથ ફેમિલી અંતર્ગત ઘરેથી શહેરીજનોએ યોગ કરેલ. આગામી ૨૧ જુન વિશ્વ યોગ દિનની ઉજવણી માટે તા.૧૫/૬/૨૦૨૨ના રોજ મેયર ડૉ.પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને મિટીંગ યોજાયેલ. આ મિટિંગમાં રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ કમલેશભાઈ મીરાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડે.કમિશનર આશિષકુમાર, સી.કે.નંદાણી, એ.આર.સિંહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી કિરીટસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહેલ. ૨૧ જુનના રોજ ત્રણેય ઝોન એટલે કે, ઈસ્ટ ઝોનમાં પૂ.રણછોડદાસબાપુના આશ્રમનું ગ્રાઉન્ડ, સેન્ટ્રલ ઝોનમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ તેમજ વેસ્ટ ઝોનમાં નાનામવા ચોક પાસેના ગ્રાઉન્ડમાં યોજાશે. આ યોગ દિવસની ઉજવણીમાં વધુમાં વધુ શહેરીજનો જોડાઈ તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરના તમામ વોર્ડમાં આવેલ નગર પ્રાથમિક સમિતિની સ્કુલો, ગાર્ડન, ખુલ્લા પ્લોટ વગેરે જગ્યાએ મળી કુલ-૭૫ સ્થળે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ૨૧ જુન વિશ્વ યોગ દિવસે વધુમાં વધુ લોકો જોડાઈ તેવી પદાધિકારીઓએ અપીલ કરેલ છે.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.